લોકપ્રિય પોસ્ટ્સ

શનિવાર, 4 જૂન, 2011

શ્યામ સાધુ
















ચૂપચાપ

છેવાડાના માણસની
છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થશે ત્યારે
યક્ષ આગળ બેઠેલા જણના
મૂલાધારચક્રમાંથી
એક પ્રકાશપૂંજ પ્રગટશે.
છેવાડાના માણસની
છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થશે ત્યારે ત્યાં
મણિકર્ણિકાઘાટ પર થશે
જયઘોષ ઓમ હ્રીંમ હ્રીંમનો,
છેવાડાના માણસની
છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થશે ત્યારે
પેલાં બહુ બોલકાં જાતિવાચક જણો
છેવાડે આવીને ઊભાં હશે
ચૂપચાપ !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.